મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત !​​​​​​​ 


SHARE













મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેર સ્વચ્છતામાં ચોથા નંબરે આવેલ છે જો કે, આજની તારીખે ઘણા વિસ્તારમાં શહેરમાં ગટર ઉભરાવાથી ગંદકીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરનો સ્વચ્છતામાં ચોથો ક્રમ ગુજરાત રાજ્યમાં નંબર આવેલ છે જો કે, મોરબી શહેરમાં સફાઈ બાબતે તો સફાઈ ક્યાં થાય છે. કેવી થાય છે. તે લોકો જાણે જ છે અને ગટરની તો વાત જ ના કરો જો પંદર દિવસે એક વાર ના ઉભરાય તો આ મોરબીની ગટર ના કહેવાય તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈએ જણાવ્યુ છે વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીના સનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળ આવેલ કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટની વચ્ચે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાય છે અને લોકોને ગટરના ગંધાતા પાણીમાં મજબૂરીથી ચાલવું પડે છે. અને તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને આ મુદે કાંતિભાઈ બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારી છે






Latest News