ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત !​​​​​​​ 


SHARE







મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેર સ્વચ્છતામાં ચોથા નંબરે આવેલ છે જો કે, આજની તારીખે ઘણા વિસ્તારમાં શહેરમાં ગટર ઉભરાવાથી ગંદકીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરનો સ્વચ્છતામાં ચોથો ક્રમ ગુજરાત રાજ્યમાં નંબર આવેલ છે જો કે, મોરબી શહેરમાં સફાઈ બાબતે તો સફાઈ ક્યાં થાય છે. કેવી થાય છે. તે લોકો જાણે જ છે અને ગટરની તો વાત જ ના કરો જો પંદર દિવસે એક વાર ના ઉભરાય તો આ મોરબીની ગટર ના કહેવાય તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈએ જણાવ્યુ છે વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીના સનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળ આવેલ કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટની વચ્ચે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાય છે અને લોકોને ગટરના ગંધાતા પાણીમાં મજબૂરીથી ચાલવું પડે છે. અને તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને આ મુદે કાંતિભાઈ બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારી છે






Latest News