મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત !​​​​​​​ 


SHARE











મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેર સ્વચ્છતામાં ચોથા નંબરે આવેલ છે જો કે, આજની તારીખે ઘણા વિસ્તારમાં શહેરમાં ગટર ઉભરાવાથી ગંદકીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરનો સ્વચ્છતામાં ચોથો ક્રમ ગુજરાત રાજ્યમાં નંબર આવેલ છે જો કે, મોરબી શહેરમાં સફાઈ બાબતે તો સફાઈ ક્યાં થાય છે. કેવી થાય છે. તે લોકો જાણે જ છે અને ગટરની તો વાત જ ના કરો જો પંદર દિવસે એક વાર ના ઉભરાય તો આ મોરબીની ગટર ના કહેવાય તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈએ જણાવ્યુ છે વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીના સનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળ આવેલ કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટની વચ્ચે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાય છે અને લોકોને ગટરના ગંધાતા પાણીમાં મજબૂરીથી ચાલવું પડે છે. અને તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને આ મુદે કાંતિભાઈ બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારી છે






Latest News