મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ


SHARE











માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામે બાવળની કાંટમાંથી એક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી હતી જેથી ગ્રામજનો દ્વારા જાણ થતાં સરપંચે માળીયા પોલીસને જાણ કરી હતી પોલીસે સેવાભાવી સંસ્થાઓની મહિલાઓને સાથે રાખીને બાળકીને સારવાર માટે મોરબી સિવિલે ખસેડી હતી અહીં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીને જાણ કરીને બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

માળિયાના મેઘપર ગામ બાવળમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી જેથી ગામના સરપંચે બનાવની જાણ કરતા માળીયા પોલીસ સ્ટાફ  સ્થળે દોડી ગયો હતો અને સમાજસેવી સંસ્થાની બહેનોની મદદથી નવજાત બાળકીને સારવાર માટે ત્યાંના પીએચસી ખાતે અને બાદમાં મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.

બનાવને પગલે માળીયા મીંયાણા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા તથા સ્ટાફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને અહીં સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણાને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને રંજનબેન મકવાણા તેમજ સમાજ સેવી સંસ્થાની બહેનો અને પોલીસ દ્વારા મોરબી ખાતેથી વધુ સારવાર અર્થે બાળકીને હાલ રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ત્યાં બાળકીનું મેડીકલ ચેકઅપ કરાશે અને જો તેની હાલત યોગ્ય હશે તો તેણીને બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે જોકે અહીં મોરબી જીલ્લામાં આ પ્રકારની સુવિધા જિલ્લો બન્યા બાદ છ વર્ષે પણ ન હોય મળી આવેલ બાળકીને રાજકોટ, સુરેન્દ્રનગર અથવા તો જામનગરના બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે તેવું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકો ફીટકાર વર્ષાવી રહ્યા છે તેમજ માળીયા પોલીસે અજાણી મહીલા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News