મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ


SHARE













માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામે બાવળની કાંટમાંથી એક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી હતી જેથી ગ્રામજનો દ્વારા જાણ થતાં સરપંચે માળીયા પોલીસને જાણ કરી હતી પોલીસે સેવાભાવી સંસ્થાઓની મહિલાઓને સાથે રાખીને બાળકીને સારવાર માટે મોરબી સિવિલે ખસેડી હતી અહીં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીને જાણ કરીને બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

માળિયાના મેઘપર ગામ બાવળમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી જેથી ગામના સરપંચે બનાવની જાણ કરતા માળીયા પોલીસ સ્ટાફ  સ્થળે દોડી ગયો હતો અને સમાજસેવી સંસ્થાની બહેનોની મદદથી નવજાત બાળકીને સારવાર માટે ત્યાંના પીએચસી ખાતે અને બાદમાં મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.

બનાવને પગલે માળીયા મીંયાણા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા તથા સ્ટાફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને અહીં સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણાને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને રંજનબેન મકવાણા તેમજ સમાજ સેવી સંસ્થાની બહેનો અને પોલીસ દ્વારા મોરબી ખાતેથી વધુ સારવાર અર્થે બાળકીને હાલ રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ત્યાં બાળકીનું મેડીકલ ચેકઅપ કરાશે અને જો તેની હાલત યોગ્ય હશે તો તેણીને બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે જોકે અહીં મોરબી જીલ્લામાં આ પ્રકારની સુવિધા જિલ્લો બન્યા બાદ છ વર્ષે પણ ન હોય મળી આવેલ બાળકીને રાજકોટ, સુરેન્દ્રનગર અથવા તો જામનગરના બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે તેવું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકો ફીટકાર વર્ષાવી રહ્યા છે તેમજ માળીયા પોલીસે અજાણી મહીલા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News