મોરબી મહાપાલિકા વિસ્તારમાં રામનવમી-મહાવીર જયંતીએ કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ
SHARE









મોરબી મહાપાલિકા વિસ્તારમાં રામનવમી-મહાવીર જયંતીએ કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ
આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જયંતી આવી રહી છે ત્યારે આ બંને ધાર્મિક તહેવારને ધ્યાને રાખીને મહાપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આગામી તા. ૬/૪ ના રોજ રામનવમી નિમિતે તથા તા.૧૦/૪ ના રોજ મહાવીર જયંતી" નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. અને સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.
