મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: અખાત્રીજ અનુષંધાને બાળલગ્ન અટકાવવા અનુરોધ, હેલ્પલાઈન નંબર્સ જાહેર કરાયા


SHARE











મોરબી: અખાત્રીજ અનુષંધાને બાળલગ્ન અટકાવવા અનુરોધ, હેલ્પલાઈન નંબર્સ જાહેર કરાયા

અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ટ મુહર્ત માનવામા આવે છે. જે દિવસે રાજ્યમાં વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં બાળલગ્નો પણ થાય છે. ત્યારે તેને અટકાવવાના આશયથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

બાળલગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને અનુરોધ કરાયો છે. તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ દીકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને દીકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી આપના વિસ્તારમાં/ આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.

બાળલગ્ન માટે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ રૂ. ૧ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જેથી જો બાળલગ્ન થતાં જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી (૦૨૮૨૨ ૨૪૨૫૩૩), જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી (૦૨૮૨૨ ૨૪૦૦૯૮) અથવા ચાઇલ્ડ લાઇન (૧૦૯૮) પોલીસ (૧૦૦), મહિલા અભયમ ૧૮૧ સહિતના હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા અપીલ કરાઇ છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ટ મુહર્ત માનવમાં આવે છે ત્યારે આ દિવસે અનેક લગ્નો તેમજ સમુહલગ્નો યોજાતા હોય છે. જેથી આ દિવસે કોઈ બાળલગ્નો ન કરે તેમજ થતાં હોય તો તેને અટકાવવા અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નંબરો પર જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીની યાદીમાં જણાવાયું છે






Latest News