મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો


SHARE











મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો

ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગ લગ્નસહાય યોજના અમલમાં છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ  લગ્ન કરે તો દંપતી ને (રૂ.૭૫,૦૦૦/- + રૂ.૭૫,૦૦૦/-) રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂ.૭૫,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.સંતસુરદાસ યોજનામાં ૮૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીને નાણાકીય સહાય માટેની યોજના અમલી હતી. જેમાં સુધારો કરતા હવે સંતસુરદાસ યોજનામાં ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા  દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિ માસ રૂ.૧,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.

દિવ્યાંગ લગ્નસહાય અને સંતસુરદાસ યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવી આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી રૂમ નં.૫/૯, ગ્રાઉન્ડ ફ્લોર, નવા જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૨, ફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News