મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે-રિલિફનગર પાસે દબાણ હટાવતી મહાપાલિકા


SHARE











મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે-રિલિફનગર પાસે દબાણ હટાવતી મહાપાલિકા

મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત આજે મોરબીના રેલ્વે સ્ટેશન રોડે અને રિલિફ નાગર પાસે મુખ્ય રોડ આસપાસના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી મહાપાલિકાની ટીમ દ્વારા આગામી દિવસોમાં ચેક કરવામાં આવશે તેવી કમિશનરે જણાવ્યુ છે.

મોરબી પાલિકામાંથી મહાપાલિકા બનાવવામાં આવી ત્યાર થી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 600 થી વધારે દબાનોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ નાના મોટા દબાણ દૂર કરવા માટે મોરબીના રેલવે સ્ટેશન રોડ અને સામાકાંઠે રિલીફ નગર વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનો અને મકાન પાસેના ઓટલા, ઝૂંપડા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનરે કહ્યું હતું કે, જે રોડની આસપાસમાંથી અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ થયેલ નથી તે ચેક કરવા માટે મહાપાલિકાની ટીમ ત્યાં જશે અને જો દબાણ કરવામાં આવેલ હશે તો તેને તોડી નાખવામાં આવશે.






Latest News