મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ

મોરબી તાલુકાનાં બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગમી હનુમાન જયંતિને ધ્યાને રાખીને બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહેશે.

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા  ૧૧ ને શુક્રવારે સવારે ૯:૧૫ કલાકે સંત નિવાસ શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧૨:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાતે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૨ ને શનિવારે સવારે ૭:૦૦ કલાકે મંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ, ૮:૦૦ કલાકે શ્રી હનુમાન યજ્ઞ, ૯:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ, શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતોના શ્રીમુખે, અને તેની સાથે જ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિશુલ્ક કેમ્પ અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે ૩:૦૦ કલાકે નિશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને ધાર્મિક સહિતના કાર્યક્રમમાં આવવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News