તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ


SHARE















મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ

મોરબી તાલુકાનાં બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગમી હનુમાન જયંતિને ધ્યાને રાખીને બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહેશે.

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા  ૧૧ ને શુક્રવારે સવારે ૯:૧૫ કલાકે સંત નિવાસ શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧૨:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાતે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૨ ને શનિવારે સવારે ૭:૦૦ કલાકે મંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ, ૮:૦૦ કલાકે શ્રી હનુમાન યજ્ઞ, ૯:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ, શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતોના શ્રીમુખે, અને તેની સાથે જ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિશુલ્ક કેમ્પ અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે ૩:૦૦ કલાકે નિશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને ધાર્મિક સહિતના કાર્યક્રમમાં આવવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News