મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ

મોરબી તાલુકાનાં બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગમી હનુમાન જયંતિને ધ્યાને રાખીને બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહેશે.

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા  ૧૧ ને શુક્રવારે સવારે ૯:૧૫ કલાકે સંત નિવાસ શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧૨:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાતે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૨ ને શનિવારે સવારે ૭:૦૦ કલાકે મંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ, ૮:૦૦ કલાકે શ્રી હનુમાન યજ્ઞ, ૯:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ, શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતોના શ્રીમુખે, અને તેની સાથે જ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિશુલ્ક કેમ્પ અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે ૩:૦૦ કલાકે નિશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને ધાર્મિક સહિતના કાર્યક્રમમાં આવવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News