મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ
SHARE








મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ
મોરબી તાલુકાનાં બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગમી હનુમાન જયંતિને ધ્યાને રાખીને બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહેશે.
શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા ૧૧ ને શુક્રવારે સવારે ૯:૧૫ કલાકે સંત નિવાસ શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧૨:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાતે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૨ ને શનિવારે સવારે ૭:૦૦ કલાકે મંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ, ૮:૦૦ કલાકે શ્રી હનુમાન યજ્ઞ, ૯:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ, શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતોના શ્રીમુખે, અને તેની સાથે જ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિશુલ્ક કેમ્પ અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે ૩:૦૦ કલાકે નિશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને ધાર્મિક સહિતના કાર્યક્રમમાં આવવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

