મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે થાઈરોડની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત


SHARE







મોરબીના નીચી માંડલ ગામે થાઈરોડની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતી મહિલાએ થાઈરોડની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના નીચી માંડલ ગામે રહેતા ધીરૂભાઈ હસમુખભાઈ સંઘાણીએ પોલીસમાં જાણ કરીને પોલીસને જણાવ્યું હતુ કે તેમના માતા લીલાબેન હસમુખભાઇ સંઘાણી જાતે પટેલ (ઉમર ૫૫) એ તેમના ઘરે ગઇકાલ તા.૨૩ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘઉંમાં નાંખવાનો ઝેરી પાવડર પી લીધો હતો જેથી કરીને સારવાર માટે લઇ જવાતા ટૂંકી સારવાર દરમિયાન લીલાબેન હસમુખભાઈ સંઘાણી (૫૫) નું મોત નીપજ્યું હતુ. વધુમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે મૃતક લીલાબેનને છેલ્લા બે વર્ષથી થાઇરોઇડની બીમારી હોય અને તેની દવાઓ ખાઈ ખાઈને કંટાળી ગયા હોવાના કારણે તેઓએ તેમના ઘરે ઘંઉમાં નાંખવાનો ઝેરી પાવડર પી લીધો હતો અને તેના લીધે તેઓનું મોત નિપજ્યું છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં એ.જે.કંપનીની પાછળ રહેતા સંજયભાઈ અમરશીભાઈ સનારીયા નામનો ૩૯ વર્ષીય યુવાન ગઇકાલે સાંજના સમયે કામ ઉપરથી પરત ઘરે જતો હતો ત્યારે લખધીરપુર રોડ પાસેની વર્ધમાન હોટલ પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં પગના ભાગે ઇજાઓ થવાથી સંજય સનારીયાને આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.મોરબીના ઘાંટીલા ગામે રહેતો કૌશિકભાઇ રાઠવા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને જાંબુડીયા તરફ જતો હતો ત્યારે જુના જાંબુડીયા નજીક ગરનાળા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત કૌશિક રાઠવાને પણ સારવારમાં આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

ધ્રાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રહેતા ગોરધનભાઈ પરમજીભાઈ ગઢીયા નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગામના બસ સ્ટેશન પાસેથી પગપાળા જતા હતા ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત ગોરધનભાઈ ગઢીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના ભગવાનજીભાઈ ભુરાભાઈ રજપુત નામના ૫૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત ભગવાનજીભાઈને પણ અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News