મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE











મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં કાચા રસ્તા ઉપર થી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બિનાગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સીરામીક નામના કારખાનના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ રાજુકુમાર બંસલ (25) નામનો યુવાન કેસા સેનેટરીવેર પાછળના ભાગમાં આવેલ કાચા રસ્તા ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી વિરેન્દ્ર ફુલચંદ પ્રજાપતિએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાગંગા જવાના રસ્તા ઉપરથી આસરે 55 વર્ષની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે હરીનગરમાં રહેતા પરેશભાઈ જયંતીભાઈ વરમોરા (40)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News