જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE













મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં કાચા રસ્તા ઉપર થી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બિનાગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સીરામીક નામના કારખાનના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ રાજુકુમાર બંસલ (25) નામનો યુવાન કેસા સેનેટરીવેર પાછળના ભાગમાં આવેલ કાચા રસ્તા ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી વિરેન્દ્ર ફુલચંદ પ્રજાપતિએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાગંગા જવાના રસ્તા ઉપરથી આસરે 55 વર્ષની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે હરીનગરમાં રહેતા પરેશભાઈ જયંતીભાઈ વરમોરા (40)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News