મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE

















મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં કાચા રસ્તા ઉપર થી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બિનાગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિમેરો સીરામીક નામના કારખાનના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ રાજુકુમાર બંસલ (25) નામનો યુવાન કેસા સેનેટરીવેર પાછળના ભાગમાં આવેલ કાચા રસ્તા ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી વિરેન્દ્ર ફુલચંદ પ્રજાપતિએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાગંગા જવાના રસ્તા ઉપરથી આસરે 55 વર્ષની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે હરીનગરમાં રહેતા પરેશભાઈ જયંતીભાઈ વરમોરા (40)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News