મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના સાદુકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના સાદુકા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુકા ગામની સીમ આવેલ કિયા સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેલ કિશનભાઇ ડંડીયા (28) નામનો યુવાન ગત તા. 4/4/25 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સુજીત કિશન ડંડીયા (30) રહે. કિયા સીરામીક સાદુકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા (35) નામનો યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News