ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના સાદુકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના સાદુકા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુકા ગામની સીમ આવેલ કિયા સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેલ કિશનભાઇ ડંડીયા (28) નામનો યુવાન ગત તા. 4/4/25 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સુજીત કિશન ડંડીયા (30) રહે. કિયા સીરામીક સાદુકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા (35) નામનો યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News