મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન

મોરબીના આગામી મંગળ અને બુધવારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી- હરિયાણાના અંજલિબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે.

આ અંગે આયોજકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા. 22 અને 23 ના રોજ મોરબી ખાતે નારી પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને નારી શ્રેષ્ઠ શા માટે?, નારી શક્તિ શું કરી શકે?, નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે ? તે વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના રવાપર રોડે આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટરના હોલ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન યોજાશે. જેમાં તા 22 ના રોજ મહિલા અને 23 ના રોજ યુવા મહિલા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે અને નારી પ્રશિક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આયોજકે આમંત્રણ આપ્યું છે અને વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા (9825941704)નો સંપર્ક કરવા જણાવ્યું છે.






Latest News