વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે


SHARE











મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે

કાલે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વ આવી રહી છે ત્યારે તેઓ આગામી સમયમાં નવા સંગઠનાત્મક પરિવર્તન થવાના છે તેને લઈને પત્રકારોની સાથે ચર્ચા કરશે તેવું જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે.

સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આવતીકાલ તા 23/4 માં રોજ સવારે 10:00 કલાકે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહેવાના છે અને ત્યાં નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ પત્રકારોની સાથે ચર્ચા કરશે. તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયાએ જણાવ્યુ છે.






Latest News