મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો
ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી
SHARE
ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી
માનવ સેવા અને જીવદયા એ જ પ્રભુ ભક્તિનો ઉત્તમ માર્ગ છે, આ ઉક્તિને સાર્થક કરતાં મુંદડિયા પરિવારે એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરીને વડીલો અને અબોલ જીવો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે.
વીરપર ગામના રહેવાસી સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયા (હસ્તે. મણીભાઇ નથુભાઇ મુંદડિયા) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ' સદ્ ભાવના વૃદ્ધાશ્રમ' ખાતે એક વિશેષ ગરિમાપૂર્ણ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને ભોજન કરાવ્યુ હતું. તેમજ માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને પણ પ્રાધાન્ય આપીને બળદોના ઘાસચારા અને નિભાવ માટે મુંદડિયા પરિવાર તરફથી રોકડ સહાયનું યોગદાન આપવામાં આવ્યું હતું. "સ્વજનની વિદાયનું દુઃખ અસહ્ય હોય છે, પરંતુ તેમના સ્મરણાર્થે જ્યારે કોઈ અસહાય વડીલ કે અબોલ જીવને સહારો મળે છે, ત્યારે જ આત્માને સાચી શાંતિ મળે છે." તેવી લાગણી મુંદડિયા પરિવારે વ્યક્ત કરી હતી.









