મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા મોરબીના યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ટંકારામાં રહેતા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ બુટાની વાડી ખાતે રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (39) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટિંગનું કામ કરતો હતો ત્યારે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટંકારાના સો વારીયા ગુલાબ પેટ્રોલ પંપની સામે રહેતા રાજુભાઈ દિનેશભાઈ વિકાણી (50)એ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવની તેઓના દીકરા આકાશભાઈ રાજુભાઈ વિકાણી (25) રહે. સો વારિયા ગુલાબ પેટ્રોલ પંપ પાછળ ટંકારા વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.