મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી
SHARE
મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી
સંગઠન સૃજન અભિયાન આતર્ગત મોરબી જીલ્લામાં આજે AICC નાં ઓબ્ઝર્વ આવેલ છે અને મોરબીના ના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતનાઓને સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબી જિલ્લા બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહપ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને જિલ્લા તેમજ તાલુકાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજીએ કહ્યું હતું કે, જિલ્લા અને તાલુકાનાં કોંગ્રેસના આગેવાનો અને હોદેદારોને સાંભળવામાં આવશે અને મોરબી જીલ્લામાં બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટેનું કામ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારે કરપ્શન, મોંઘવારી સહિતના જે મુદાઓ છે તેને લોકો સમક્ષ મૂકીને આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવું સંગઠન બનાવવામાં આવશે.