ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે મહાપાલિકાની ટીમે 50 જેટલા દબાણો જીસીબીથી તોડી પાડ્યા


SHARE













મોરબીના બાયપાસ રોડે મહાપાલિકાની ટીમે 50 જેટલા દબાણો જીસીબીથી તોડી પાડ્યા

મોરબી મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયામાં એક દિવસ કોઈ એક વિસ્તારની અંદર મુખ્યમાર્ગની આસપાસના દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચેના વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે 50 જેટલા નાના મોટા, કાચા પાકા દબાણોને જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા.

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં મુખ્યમાર્ગોની આસપાસમાં જે નાના મોટા, કાચા પાકા દબાણો કરવામાં આવ્યા છે તેને તોડી પાડવા માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે દર બુધવારે કોઈ એક વિસ્તારની અંદર ડિમોલિશન હાથ ધરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલથી લઈને પંચાસર ચોકડી સુધીના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ કરવામાં આવેલ નાના મોટા, કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અધિકારીને કહેવા મુજબ આ કામગીરી દરમિયાન દુકાનો, હોટલ અને ભંગારના ડેલા વગેરે જેવા દબાણો મળીને કુલ 50 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને વધુમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે મોરબીના મુખ્યમાર્ગો ઉપર કોઈ પણ જગ્યાએ નાના મોટા, કાચા પાકા કોઈપણ પ્રકારના દબાણો નડતરરૂપ હશે તો તેને તોડી પાડવા માટેની કામગીરી આવી જ રીતે ચાલુ રાખવામાં આવશે.






Latest News