માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ


SHARE











મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ

મોરબીની ખાનગી બસમાં સુરતથી બીજાના નામે પાર્સલ મંગાવ્યું હતું જે પાર્સલમાં ગાંજો 20 કિ.ગ્રા. 245 ગ્રામ હતો તે ગાંજાના જથ્થા સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો અને ત્યાર બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં એક આરોપીને છોડી મૂકવામાં આવેલ છે જો કે, એક આરોપીને એનડીપીએસના કેસમાં 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે.

આ કામના ફરીયાદીએ તા. 6/10/2019 રોજ ફરીયાદ આપેલી હતી કે, આ કામના આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરીએ આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતારભાઈ મેમણના કહેવાથી શ્રીજી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજાનો જથ્થો (પાર્સલ) મંગાવી જે ગાંજાનું પાર્સલ દિનેશભાઈના નામથી મંગાવ્યું હતું અને આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરી શ્રીજી ટ્રાવેલ્સની ઓફીસે તે લેવા માટે ગયો હતો. અને તે પાર્સલમાં ગાંજો 20 કિ.ગ્રા. 245 ગ્રામ હતો જેની કિંમત 1,21,470 થાય છે. તે ઉરપાંત એક મોબાઈલ પણ મળી આવેલ હતો. અને જે તે સમયે બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ 1985 ની કલમ- 20 (બી) તથા 29 મુજબ ગુનો નોંધાયેલ હતો.

આ કેસમાં જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા 20 મૌખિક અને 49 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓએ કરેલ ધારદાર દલીલોને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના સેસન્સ જજ ડી.પી. મહિડા સાહેબે આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરી (38) રહે. મેમણશેરી દરીયાલાલ મંદીર સામે મોરબી વાળાને છોડી મુકવાનો હુકમ કર્યો છે જો કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભુરો સતારભાઈ મેમણ (41) રહે. કુબેરનાથ રોડ મોચી શેરી સામે ગ્રીન ચોક મોરબી વાળાને દોષિત ઠેરવેલ છે અને 10 વર્ષની સજા તેમજ 50 હજારનો દંડ કર્યો છે. અને જો દંડ ન ભારે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવે છે.






Latest News