મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા સમયે છત ઉપરથી નીચે ટકાતા માથાના ભાગે તથા છાતીએ ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગીરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ ખાતે રહેતા રણજીતભાઈ જયંતીભાઈ સોંદરવા (30) નામનો યુવાન ગત તા. 19/4 ના રોજ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે છત ઉપરથી નીચે ટકાતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્મૃતના બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ એલએલપી નામના કારખાનામાં રહેતા મૂળ યુપીના રહેવાસી શ્યામસિંગ રાજારામ યાદવ (40)ને ગત તા. 1/ 5/25 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને કુવાડવા પાસે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News