મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત
SHARE
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલા કવાર્ટર લાભાર્થીઓને આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ૩૦ લાભાર્થીઓ આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓએ તેના દસ્તાવેજ જમા કરાવેલ છે જેની તપાસણી બાદ કવાર્ટર ફાળવણીનું કામ શરૂ કરવામાં આવશે.
મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે અને મોરબી મહાપાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે તા.૩૦-૪ ના રોજ ૧૦:૩૦ થી ૫ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓ પૈકી ૩૦ લાભાર્થીઓ ત્યાં આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓ નિયત કરેલ દસ્તાવેજ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી લાભાર્થીનો ફાળો ભરાવી કામધેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં આવાસ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. અને વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.