મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત


SHARE















મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલા કવાર્ટર લાભાર્થીઓને આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ૩૦ લાભાર્થીઓ આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓએ તેના દસ્તાવેજ જમા કરાવેલ છે જેની તપાસણી બાદ કવાર્ટર ફાળવણીનું કામ શરૂ કરવામાં આવશે.

મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે અને મોરબી મહાપાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે તા.૩૦-૪ ના રોજ ૧૦:૩૦ થી ૫ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓ પૈકી ૩૦ લાભાર્થીઓ ત્યાં આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓ નિયત કરેલ દસ્તાવેજ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી લાભાર્થીનો ફાળો ભરાવી કામધેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં આવાસ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. અને વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.






Latest News