મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત
મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
SHARE
મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
મોરબી સેશન્સ કોર્ટેમાં હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે
આ કેસની વકીલ પાસેથી મળતી માહિતિ મુજબ ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો હતો જેથી કરીને હળવદ પોલીસે ગુનો નોંધીને જરૂરી અને યોગ્ય તપાસ કરી આરોપી અજયભાઈ મગનભાઈ ગણેશીયાની ધરપકડ કરેલ હતી. આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. અને શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદ પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલ કરેલ હતી જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચણીયા તથા જીતેન ડી. અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.