મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા


SHARE

















મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા

મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નાલંદા કેમ્પસ વિરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા (ગામ વિરપર) તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાળીને ગૌરવભેર સન્માન કરેલ ઍટલુ જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યા હતો. સાથે-સાથે તેમના પરિવાર સાથે ચા-નાસ્તો તેમજ ભોજન લીધુ હતું. ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક ઍવાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાઍ અનુકરણીય પગલું ભર્યુ હતુ.




Latest News