માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો


SHARE

















મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં આ કોર્ષ તેમણે સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. જેઓ આવતા વર્ષે કુલ્લી મનાલી ખાતે સરકાર દ્વારા યોજાનાર શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરગુજરાત સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે ૫૦ થી ૬૦ વર્ષની વયના લોકો માટે સૌપ્રથમ વખતની બેન્ચની વિશિષ્ટ સાહસ શિબિર એટલે કે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેના માટે ગુજરાતભરમાંથી ૪૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં તેઓએ આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે સાથે જ ગ્રુપના ડી.ઑ. તરીકેનું બહુમાન મેળવી જોશી (કમિશનરયુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ગુજરાત રાજ્યગાંધીનગર) ના હસ્તે પ્રમાણપત્ર મેળવીને સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના મોરબી જિલ્લાના એમ્બેસેડર બન્યા છે.
 

લાલજીભાઈ કુનપરા દ્વારા આવતા વર્ષે કુલ્લુ મનાલી ખાતે સરકાર દ્વારા આયોજિત શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.મન હોય તો માળવે જવાય આ યુક્તિ અનુસાર તેમની આ અનેરી સિદ્ધિ અને સફળતા બદલ તેઓ માર્ગદર્શક અમિતભાઈ ગોધાણીસ્પોન્સર મહેશભાઈ બી. ડાભીતથા તેમના પત્ની શિતલબેન કુનપરા અને પુરા પરિવારનો આભાર વ્યક્ત કરે છે. તેમની આ સિદ્ધિ બદલ વિદ્યાલય પરિવારઠાકોર સમાજતથા શુભેચ્છકો તરફથી ચોમેરથી પ્રસંશા અને અભિનંદન વર્ષા થઈ રહી છે અને માઉન્ટ આબુ ખાતે ઉંમર વર્ષ ૮ થી ૪૫ વયના લોકો માટે આગામી કેમ્પની માહિતી જોઈતી હોય તો સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી ૧૨ દરમિયાન લાલજીભાઈ કુનપરા (મો.૯૮૨૫૬ ૪૮૬૯૩) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે.




Latest News