મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ગેસ-રોમટિરિયલ્સના ભાવ વધારાએ કમર તોડી નાખી: મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો


SHARE











ગેસ-રોમટિરિયલ્સના ભાવ વધારાએ કમર તોડી નાખી: મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશમાં લાખો લોકોને રોજગારી આપે છે અને સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસ તેમજ રોમટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે અને અહીના કારખાનેદારો દ્વારા માલની માંગ ઘટી રહી હોવાથી તેના ઉત્પાદન ઉપર કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે જેથી કરીને ધીમેધીમે કરતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે. 

દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે જો કે, ચાઈનાની અંદર આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે અને મોરબીમાં ટેક્સ સાથે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી ગેસ સપ્લાય કરવામાં આવે છે અને છેલ્લા બે ભાવ વધારાના કારણે ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ગેસ ઉપરાંત અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે અને ડોમેસ્ટિક માર્કેટમાં માલ સપ્લાઈ થતો નથી જેથી કરીને કેટલા ઉદ્યોગકારો દ્વારા તેના ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે અને અમુક ઉદ્યોગકારોએ તો તેના કારખાનામાં માલની ડિમાન્ડ સતત ઘટી રહી છે જેથી માલનો કારખાનામાં ભરાવો થતો હોવાથી તેના કારખાના જ બંધ કરી દીધા છે તેવું મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશન માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ જણાવ્યુ છે. 

મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લે જે બે તોતિંગ ભાવ વધારા કરેલા છે તેના લીધે ઉદ્યોગકારોની કમર તૂટી ગયેલ છે અને બેન્ક ગેંરેટી માટે રૂપિયા શોધતા થઈ ગયા છે અને અધુરામાં પૂરું એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે જે કન્ટેનર પહેલા બે થી ત્રણ હજારમાં ભાડે મળતા હતા તે હાલમાં ૧૦ થી ૧૨ હજારમાં પણ ભાડે મળી રહ્યા નથી તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે. 

સતત ગેસ સહિતના રોમટિરિયલ્સના ભાવ વધારાના કારણે સિરામિક ઉધોગના વળતા પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જોકે સરકાર દ્વારા આમાં કોઈ હુફ આપવામાં આવે તેવી તેમણે લાગણી વ્યક્ત કરે છે અત્રે ઉએલેખનીય છે કેજુલાઈ મહિનાની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ૧૧૦૦ કરોડઓગસ્ટમાં ૧૦૦૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૮૦૦ કરોડનું એક્સપોટ કરેલ છે આમ છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનું એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે અને છેલ્લા દિવસોમાં ઇન્ટરનેશનલ અને લોકલ માર્કેટમાંથી જે ઓર્ડર લેવામાં આવ્યા છે તેમાં ઘણા ઉદ્યોગકારોએ નુકશાન કરીને પોતાની પાર્ટીને ટકાવી રાખી છે તેવું કહીએ તો તેના જરાપણ અતિશયોક્તિ નથી. 

અહીના ઉદ્યોગકારોના કહેવા મુજબ મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન મારફતે સિરામિક યુનિટમાં ગેસ સપ્લાય કરવામાં આવે છે તે પાઇપ લાઇનમાં પીએનજીઆર દ્વારા વેકલ્પિક ગેસ નાખવા માટે તેને છૂટ આપવામાં આવે તો ગેસ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ મળે તેવી શક્યતા છે જોકે આમાં પણ ગુજરાત ગેસ કંપનીની દાદાગીરીના કારણે અન્ય કોઈ ગેસ કંપનીને ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવતી નથી જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અહીના ઉદ્યોગકારોને આ પીડામાથી મુક્તિ મળશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.






Latest News