મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા


SHARE













મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા

મોરબી સહિત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ઘણી વખત જર્જરિત મકાન કે મિલકત પડે તેવી ઘટનાઓ બનેલ છે ત્યારે આગામી ચોમાસા પહેલા જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને સૂચના અપવામા આવેલ છે અને જો વરસાદને કારણે કોઈ જર્જરિત મકાન તૂટી પડે અને કોઇના પણ માલ સામાનને નુકશાન થશે કે પછી જાનહાની થશે તો તેના માટે મિલકતના માલિક/ કબજેદારની જવાબદારી રહેશે તેવું મહાપાલિકાના સીટી ઈજનેરજણાવ્યું છે.

 મોરબી મહાપાલિકાના સીટી ઈજનેરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરી વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલ છે અને આગામી સમયમાં ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદ પડે ત્યારે જર્જરિત મિલકત કે મકાન તૂટી પડવાથી જાનમાલને નુકશાન ના થાય તે માટે આસામીને મિલકત તાત્કાલિક ઉતારી લેવા માટેની જાહેર નોટીસ આપવામાં આવેલ છે જો કે, જર્જરિત મિલકત ન તોડવામાં આવે અને કોઈ દુઘર્ટના થશે અને તેમાં કોઈપણ વ્યક્તિના જાન માલને કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેના માટે જે તે મિલકતના આસામીની જ જવાબદારી રહેશે. અને ખાસ કરીને જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.






Latest News