ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત

મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. જો કે, વરસાદી પાણીનો નિકાલ, પાણીની લાઇનનું રિપેરિંગ, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી ચોમાસામાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય તેમ છે જેથી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય દ્વારા આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મહેન્દ્રનગર ગામે સુવિધા આપવાની માંગ કરેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ગામે આવેલ મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રાધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ભુર્ગભ ગટર હતી જે કાઢી નાખેલ છે જેના કારણો ગટરનું ગંદુ પાણી રોડની બહાર આવે છે અને ખુબજ ગંદકી થાય છે માટે વહેલી તકે ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે તે જરૂરી છે.

તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટી અંદાજે ત્રણ ફુટ ઉંચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થયેલ છે જેના કારણેથી વરસાદનું પાણી નજીકની સોસાયટીમાં ભરાઈ અને લોકોને નુકશાન થાય તેવી શક્યતા છે. અને નવો રોડ બનાવાથી પાણીને લાઇનો તુટી ગયેલ છે જેના કારણે લાઇનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે. જેથી પાણીની લાઇન રીપેરીંગ કરીને સમયસર લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News