મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ-પાણીના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પંચાયતના સભ્યની કમિશ્નરને રજૂઆત

મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. જો કે, વરસાદી પાણીનો નિકાલ, પાણીની લાઇનનું રિપેરિંગ, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી ચોમાસામાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય તેમ છે જેથી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય દ્વારા આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મહેન્દ્રનગર ગામે સુવિધા આપવાની માંગ કરેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મહેન્દ્રનગર ગામનો મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ગામે આવેલ મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રાધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ભુર્ગભ ગટર હતી જે કાઢી નાખેલ છે જેના કારણો ગટરનું ગંદુ પાણી રોડની બહાર આવે છે અને ખુબજ ગંદકી થાય છે માટે વહેલી તકે ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે તે જરૂરી છે.

તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટી અંદાજે ત્રણ ફુટ ઉંચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થયેલ છે જેના કારણેથી વરસાદનું પાણી નજીકની સોસાયટીમાં ભરાઈ અને લોકોને નુકશાન થાય તેવી શક્યતા છે. અને નવો રોડ બનાવાથી પાણીને લાઇનો તુટી ગયેલ છે જેના કારણે લાઇનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે. જેથી પાણીની લાઇન રીપેરીંગ કરીને સમયસર લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News