મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના મૃત્યુની 50, 000 સહાય અન્વયે પાંચ  અરજદારોની પ્રોસેસ ચાલુ : મામલતદાર


SHARE











વાંકાનેરમાં કોરોના મૃત્યુની 50, 000 સહાય અન્વયે પાંચ  અરજદારોની પ્રોસેસ ચાલુ : મામલતદાર

(કેતન ભટ્ટી દ્વારા)  કોરોનાથી મૃત્યુ થયું હોય તેના પરિવારજનોને અરજી આપ્યાનાં દસ દિવસ માં રૂ. 50, 000 મૃત્યુ સહાય ચૂકવી આપવાનાં રાજ્ય સરકારનાં આદેશ થતાં લોકો સહાય મેળવવા  દોડધામ કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં હાલનાં તબક્કે માત્ર પાંચ અરજદારોને મૃત્યુ સહાય ચૂકવવા ગતિવિધિ ચાલુ હોવાનું વાંકાનેર મામલતદાર દ્વારા જણાવાયું હતું.

કોરોનાથી અવસાન થયું હોય તેના પરિવારને અરજી આપ્યાનાં દસ દિવસમાં જ રૂ. 50, 000 ચૂકવી આપવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે લોકો આ સહાય મેળવવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે એક તરફ કોરોનાથી મૃત્યુનાં અગાઉ અપાયેલા સરકારી આંકડા અને હવે સહાય માટે મળી રહેલ અરજીઓ વચ્ચે મોટો તફાવત પણ હોવાની શક્યતા છે, ત્યારે આ મુદ્દે વાંકાનેર મામલતદારનાં જણાવ્યા મુજબ હાલ જિલ્લા કલેકટર દ્વારા અપાયેલ લિસ્ટ મુજબ વાંકાનેરનાં પાંચ અરજદારોને 50, 000 ની સહાય ચૂકવવા પ્રોસેસ ચાલુ છે, જ્યારે કોરોનાથી ડેથ થયું છે તેના જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજદારો વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી શકે છે તેમ જણાવ્યું હતું, જોકે વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો સૌથી મોટો તાલુકો છે, 101 જેટલા ગામો ધરાવે છે, અને કોરોનાથી મૃત્યુ આંક પણ વધુ છે, ત્યારે હજુ સુધીમાં માત્ર પાંચ અરજદારોને મૃત્યુ સહાય ચૂકવવા પ્રોસેસ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનાં દસ દિવસમાં સહાય ચૂકવવાનાં આદેશનું પાલન થશે કે નહીં? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.






Latest News