મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 


SHARE













બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 

સૌરાષ્ટ્રની અનેક બ્લડ બેન્કો માં હાલ રક્તની અછત સર્જાઈ છે ત્યારે વાંકાનેર નાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ડેન્ગ્યુના સતત વધતા કેસને કારણે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાઈ છે, ત્યારે માનવ જીંદગી બચાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ, પાટીદાર સેવા સમાજ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશ ભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિ જોતાં મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવતીકાલે તા. 28 ને રવિવારે વાંકાનેરનાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે સવારે 10 થી 2 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માનવ જીંદગી બચાવવા આવતીકાલે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે અને માનવ જીંદગી બચાવવાનાં આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.






Latest News