અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 


SHARE













બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 

સૌરાષ્ટ્રની અનેક બ્લડ બેન્કો માં હાલ રક્તની અછત સર્જાઈ છે ત્યારે વાંકાનેર નાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ડેન્ગ્યુના સતત વધતા કેસને કારણે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાઈ છે, ત્યારે માનવ જીંદગી બચાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ, પાટીદાર સેવા સમાજ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશ ભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિ જોતાં મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવતીકાલે તા. 28 ને રવિવારે વાંકાનેરનાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે સવારે 10 થી 2 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માનવ જીંદગી બચાવવા આવતીકાલે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે અને માનવ જીંદગી બચાવવાનાં આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.




Latest News