મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 


SHARE









બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 

સૌરાષ્ટ્રની અનેક બ્લડ બેન્કો માં હાલ રક્તની અછત સર્જાઈ છે ત્યારે વાંકાનેર નાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ડેન્ગ્યુના સતત વધતા કેસને કારણે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાઈ છે, ત્યારે માનવ જીંદગી બચાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ, પાટીદાર સેવા સમાજ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશ ભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિ જોતાં મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવતીકાલે તા. 28 ને રવિવારે વાંકાનેરનાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે સવારે 10 થી 2 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માનવ જીંદગી બચાવવા આવતીકાલે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે અને માનવ જીંદગી બચાવવાનાં આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.






Latest News