મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો

મોરબીમાં શ્રી સત્ત સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને આયુષ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા યોજવામાં આવેલ કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જરૂરીયામંદ દર્દીઓને માઁ કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.જે દર્દી પાસે માઁ કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે.

તા.૨૮-૧૧ ને રવિવારે યોજાએલા નિઃશુલ્ક ઓપરેશન કેમ્પમાં ન્યૂરો સર્જરી એટલે કે મગજમણકા અને કરોડરજ્જુના દર્દીઓને લાભ મળ્યો હતો.કેમ્પમાં ડો.મિલન મકવાણા (M.S., DNB, ન્યૂરોસર્જન) એ સેવા આપેલ.આયુષ હોસ્પિટલના સંચાલક ડો.ચેતન અઘારાના જણાવ્યા મુજબ  કેમ્પમાં મગજની ગાંઠમજગની ઈજામગજમાં હેમરેજમગજમાં પાણી ભરાવુમાથાનો  દુખાવોલકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવોમણકાની ઇજામણકાની ગાંઠકેન્સર કે ટીબીમણકાના ફેક્ચરમણકાનો ઘસારોમણકા ખસી જવાગાદીની તકલીફગાદીમાં સોજોનસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો.તેમજ એપેન્ડીક્ષ, હર્નિયા, વધરાવટ, હરસ,મસા-ભગંદર, સ્ત્રીરોગના દર્દીઓને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળ્યો હતો કુલ ૨૭૦ થી વધુ લોકોને આ કેમ્પનો લાભ મળ્યો હતો.તેમજ ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીક અને હદયની તકલીફવાળા પેસ્નટોને પણ તપાસીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે મો.૭૫૭૫૦ ૮૮૮૮૮ અને મો.૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાએ અનુરોધ કર્યો છે.






Latest News