મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારોને એમજીઓથી ગેસ આપતી કંપની દ્વારા શા માટે નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી ?: હરિભાઈ પટેલ


SHARE











મોરબીના ઉદ્યોગકારોને એમજીઓથી ગેસ આપતી કંપની દ્વારા શા માટે નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી ?: હરિભાઈ પટેલ

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે કરાર કરીને નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તેઓની પાસેથી નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી લેવામાં આવી રહી છે જેથી કરીને ઉદ્યોગકારોની આર્થિક મુશ્કેલી વધી રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકાર દ્વ્રારા ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને ગેસ કંપની દ્વારા પોતાની શરતોમાં ફેરફાર કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધારાની બેંક ગેરેંટી શોધવા માટેની પીડામાથી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શ્રીજી સિરામિક વાળા હરિભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા બે વખત ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને અહીના ઉદ્યોગકારોની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીઓને લેખિતમાં સોશિઅલ મીડિયા મારફતે રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે અને અહીના ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવીને દેશના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં સિરામિક ટાઇલ્સ મોકલાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં જે બેંક ગેરેંટી લેવામાં આવી રહી છે તેમાં બંધ છોડ કરવાની જરૂર છે

તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, ભાવ વધારો અને બળતણ ખર્ચમાં અસ્થિરતાના લીધે અહીના ઉદ્યોગકારો ચિંતામાં છે છેલ્લા મહિનાઓમાં ગેસના ભાવમાં અનેકગણો વધારો કર્યો હોવાથી સિરામિક હબ ગણાતા મોરબીમાં ઉત્પાદન ચાલુ રાખવું ખૂબ જ મુશ્કેલ લાગે છે જો આટલી ઊંચી ગેસ કિંમત અસ્થિર રહેશે તો લાંબો ગાળે ઉદ્યોગકારો પાસે શટડાઉન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓએ જણાવ્યુ છે કે, ગેસના ભાવમાં વધારો કરવાની સાથેસાથ વધારાની બેંક ગેરેંટી માંગવામાં આવે છે ત્યારે ગુજરાત ગેસ કંપનીના કાયમી ગ્રાહક એવ સિરામિક ઉદ્યોગકરોએ અગાઉ બેંક ગેરેંટી આપેલી જ છે અને હાલમાં આર્થિક મુશ્કેલી વધુ છે ત્યારે આટલી મોટી રકમ સબમિટ કરીને રકમને બ્લોક કરવી તેવું ન થાય તે માટે બેંક ગેરેંટીમાં રાહત મળે તેવો વૈકલ્પિક કાઢવામાં આવે તે જરૂરી છે

મોરબીના મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપનીની સાથે કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે તો પણ તેની પાસેથી કરારના ભાવ મુજબની બેંક ગેરેંટી લેવામાં આવતી નથી વધુ બેંક  ગેરેંટી લેવામાં આવી રહી છે ત્યારે સિક્યોરિટી માટેની શરતોમાં સુધારો કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને મદદ કરવામાં આવે તો અહીના ઉદ્યોગકારોને મોટી રાહત થાય તેમ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં આર્થિક મુશ્કેલી છે ત્યારે ઘણા ઉદ્યોગકારોને વધારાની બેંક ગેરેંટી કેવી રીતે આપવી અને ક્યાથી આપવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે મોરબીનો સિરામિક ઉદ્યોગ દાયકાઓમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેમ કે, કોરોના પછી ખર્ચઓ નિશ્ચિત છે અને બજાર પણ અનિશ્ચિત છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા તેના મુખ્ય ખરીદદારની મુશ્કેલીઓને ધ્યાને લઈને તેની શરતોમાં ફેરફાર કરીને નોન એમજીઓ દર મુજબ વધારાની સિક્યોરિટીઝની માંગ કરવાના બદલે જો એમજીઓ કરાર કર્યા હોય તેની પાસેથી એમજીઓ કરાર મુજબ વધારાની સિક્યોરિટીઝની માંગ કરવામાં આવે તો ઉદ્યોગકારોને હુંફ મળે તેમ છે






Latest News