મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન


SHARE











વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન

(કેતન ભટ્ટી દ્વારા) કોરોનાથી અવસાન પામેલા મૃતકનાં પરિવારજનોને અરજી આપ્યાનાં 10 દિવસમાં રૂ. 50, 000 ની રકમ ચૂકવી આપવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં જવાબદાર તંત્રની નિભરતાને કારણે હજુ સુધી મોટા ભાગના લોકો આવી કોઈ સહાય મળે છે તે બાબતથી જ અજાણ છે!

કોરોનાથી અવસાન થયું છે તેના આવશ્યક ડોક્યુમેન્ટ સાથે અરજી મળ્યાંનાં દસ દિવસમાં રૂ 50, 000 ચૂકવી આપવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબતથી જ વાંકાનેરનાં મોટા ભાગના લોકો અજાણ હોવાનું બહાર આવ્યું છે ! જવાબદાર તંત્ર દ્વારા લોકો સુધી આ મૃત્યુ સહાય બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી ! વાંકાનેર તાલુકો મોરબી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે અને કોરોનાથી અનેક લોકોનાં અવસાન થયા છે ત્યારે હજુ સુધી મોટા ભાગના લોકો, રાજ્ય સરકાર દ્વારા આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબત થી જ અજાણ હોવાનું બહાર આવ્યું છે! ત્યારે જવાબદાર તંત્ર અને કહેવાતા રાજકીય અગ્રણીઓ પણ માત્ર તમાશો જોયા કરે છે! ત્યારે કમસેકમ આ મૃત્યુ સહાય અંગેની તમામ જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચે તે અનિવાર્ય બન્યું છે, અને સાચા તમામ લાભાર્થીઓને આ લાભ મળે તે  પણ જરૂરી છે.






Latest News