મોરબીમાં ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો
મોરબી મહાપાલિકા દ્વારા શહેરના ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાપાલિકાનો સ્ટાફ, બિલ્ડર એસો.ના સભ્યો તથા નગરજનો જોડાયેલ હતા અને સફાઈ ઝુંબેશમાં અંદાજીત 20 હાથલારી, 4 ટ્રેક્ટર, 1 JCB દ્વારા અંદાજીત 12 ટન સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત "Ending Plastic Pollution Globally" અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન બાબતે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે.