હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂર બાબતે દંપતી ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો મોરબીની પાનેલી જીઆઇડીસીમાં બોલેરોના ચાલકે હડફેટે લેતા 11 મહિનાના બાળકનું મોત હળવદ-ડુંગરપુર ગામે દારૂની બે રેડ: 301 બોટલ દારૂ-27 બીયરના ટીમ કબ્જે, મહિલા બુટલેગર પકડાઈ, બે આરોપીની શોધખોળ મોરબીના વાવડી ગામે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત વાંકાનેરના રૂપાવટી ગામ પાસે નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના રંગપર પાસે વાડીએ સૂતેલા યુવાનને સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ


SHARE



















મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, યુવાને આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી હતી તેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ, પત્રકાર સહિત કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયેલ હતો જેમાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ભીમાણી, રવિભાઈ દેવાભાઈ ડાંગર, પ્રકાશભાઈ મેપાભાઇ પિથામલ, રવિભાઈ રાજેશભાઈ ઝાલરીયા, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (પોલીસ), કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને ઋષિભાઈ મહેતા (પત્રકાર) ની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ગુનાની તપાસ કરી રહેલા આધિકારી દ્વારા આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા (53) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News