ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા યુવાને જુદાજુદા સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા જે યુવાન પાસેથી તેના બે સ્કૂટર બળજબરીથી વ્યાજખોર લઈ ગયેલ હતા અને તેની પત્નીના ઘરેણાં વેચીને રકમ વ્યાજખોરને આપી હતી તો પણ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન તેનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મહાબલી હનુમાન મંદિર સામે વૈદેહીક પ્લાઝા વાળી શેરીમાં અક્ષર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401 માં રહેતા જગદીશભાઈ કિર્તીભાઈ ગજ્જર (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ડાંગર, ભાવેશભાઈ છબીલભાઈ, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા, કિશનભાઇ મનુભા લાંબા અને ભરતભાઈ કાનાભાઈ ચાવડા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આ શખ્સો પાસેથી તેને જુદાજુદા સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને કેટલાકને તો વ્યાજના રૂપિયા આપ્યા હતા તો પણ તેની પાસે વ્યાજની ઉઘારણી કરવામાં આવતી હતી જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો જો કે, તેના પરિવારને વ્યાજખોરો હેરાન કરશે તેવો ડર લગતા તે પાછો આવી ગયો હતો અને બાદ તેને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવેલ હતા તે અગાઉ પકડાયેલા આરોપીઓ જેલમાં છે અને હાલમાં આ ગુનામાં કિશનભાઇ મનુભા લાંબા (24) રહે. વજેપર શેરી-15  મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં ચાર આરોપી પકડાયેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેવુ પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના ધરમપુર રોડે આવેલ આદર્શ સોસાયટીમાં રહેતો ભાવેશ નીલકમલભાઈ શર્મા (20) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એસટી બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News