મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને મીઠાઇના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને મીઠાઇના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતેથી કોહવાઈ ગયેલ હાલતમાં એક યુવાનની ડેડબોડી મળી હતી.મોરબી તાલુકા પોલીસે તપાસ કરતા મોરબીના નગર દરવાજા ચોક વિસ્તાર આસપાસ મિઠાઇ અને માવાની હોલસેલની દુકાન ધરાવતા યુવાને આર્થિક સંકળામણના લીધે અંતિમ પગલું ભર્યું હોય તેવું સામે આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસેના મચ્છુ-૩ ડેમ ખાતેથી કોહવાઈ ગયેલી હાલતમાં જીતેશભાઈ દલસુખભાઈ ખંભાતી (ઉમર ૪૬) રહે.હવેલી શેરી ગ્રીનચોક પાસે મોરબી નામના જૈન વણિક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જે કોહવાઈ ગયેલી હાલતમાં હોય તેને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ મોરબીના નગરવાજા ચોક પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા હતા અને તેઓ હોલસેલમાં માવા તથા મીઠાઈનો ધંધો કરતા હતા.આર્થિક કારણોસર તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નગર દરવાજા ચોક પાસે આવેલ જાણીતા ભૂરા ભાણજી પેંડાવાળાના આગલી પેઢીએ તેઓ કૈટુંબીક ભાઈ થતા હોય અને હાલ તેઓ પણ જથ્થાબંધમાં મીઠાઈ તથા માવાનો ધંધો કરતા હતા.છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણમાં હોય તેઓએ અંતિમ પગલું ભરી લીધેલ છે.
યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતો સાગર પ્રવીણભાઈ બરાસરા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં બાઈકની ચેઇન તૂટી જતા બાઈક સહિત સીએનજી રીક્ષા સાથે અથડાયો હતો.જે બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ કેકે હિલ એપાર્ટમેન્ટ સામે ગ્રાઉન્ડમાંથી આશરે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને બેભાન હાલતમાં ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલા દલવાડી સર્કલ નજીક ગોકુલ-મથુરા સોસાયટી ખાતે બાઈકમાંથી પડી જતા દર્શ અમિતભાઈ કાલરીયા (૧૨) રહે.ઉમા ટાઉનશિપ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 






Latest News