ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ

માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામાબોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 18 મે ના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જો કે, બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે ખેડૂતો બનનારા, વારસાઇ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડુત ખાતેદાર બનનાર તમામબોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને પોલીસ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધાયેલ હતો પરંતુ કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી કરીને સરકારે આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપી દીધેલ છે.

માળીયા (મિ.)ની સરવડ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) ગત તા 18/5/25 ના રીજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું. જે ગુનામાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી જેથી સરકાર દ્વારા આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે,

અત્રે ઉલેખનીય છેકે, સરવડના તત્કાલીન તલાટી મંત્રીએ તા. 1/2/22 ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં મહેશભાઈ રાવલની ઉમર 62 વર્ષ અને તેની દીકરી તરીકે જે મહિલા હંસાબેનનું નામ લખવામાં આવ્યું છે તેની ઉમર 58 વર્ષ દર્શાવેલ છે.જેથી બાપ અને દીકરીની ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો તફાવત થાય છે ! જે બાયોલોજીકલી કે પછી કોઈપણ રીતે શક્ય નથી. જેથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે હંસાબેન સોંગદનામુ કરનાર મહેશભાઈ રાવલના દીકરી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ બનાવીને હંસાબેન કે જેઓ ખેડુત ખાતેદાર ન હતા તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે.જેથી સરવડના હાલના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જો કે, હજુ સુધી જે આરોપીઓ પકડાયેલ ન હતા જે હવે ગણતરીના દિવસોમાં પકડાય તેવા સંકેતો મળી રહ્યા છે.






Latest News