મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ

માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામાબોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 18 મે ના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જો કે, બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે ખેડૂતો બનનારા, વારસાઇ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડુત ખાતેદાર બનનાર તમામબોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને પોલીસ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધાયેલ હતો પરંતુ કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી કરીને સરકારે આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપી દીધેલ છે.

માળીયા (મિ.)ની સરવડ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) ગત તા 18/5/25 ના રીજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું. જે ગુનામાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી જેથી સરકાર દ્વારા આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે,

અત્રે ઉલેખનીય છેકે, સરવડના તત્કાલીન તલાટી મંત્રીએ તા. 1/2/22 ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં મહેશભાઈ રાવલની ઉમર 62 વર્ષ અને તેની દીકરી તરીકે જે મહિલા હંસાબેનનું નામ લખવામાં આવ્યું છે તેની ઉમર 58 વર્ષ દર્શાવેલ છે.જેથી બાપ અને દીકરીની ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો તફાવત થાય છે ! જે બાયોલોજીકલી કે પછી કોઈપણ રીતે શક્ય નથી. જેથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે હંસાબેન સોંગદનામુ કરનાર મહેશભાઈ રાવલના દીકરી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ બનાવીને હંસાબેન કે જેઓ ખેડુત ખાતેદાર ન હતા તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે.જેથી સરવડના હાલના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જો કે, હજુ સુધી જે આરોપીઓ પકડાયેલ ન હતા જે હવે ગણતરીના દિવસોમાં પકડાય તેવા સંકેતો મળી રહ્યા છે.






Latest News