મોરબી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરતા સમયે ઉમેદવારે ચારથી વધુ સમર્થકો લાવવા નહીં
મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન
SHARE
મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન
મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હળવદ, માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી રોકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાની પણ ચર્ચા છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો અધિકારી દ્વારા ખનીજ ચોરીને રોકવામાં આવશે નહીં તો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે









