મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન


SHARE













મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન

મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હળવદ, માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી રોકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાની પણ ચર્ચા છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો અધિકારી દ્વારા ખનીજ ચોરીને રોકવામાં આવશે નહીં તો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News