મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન


SHARE









મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન

મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હળવદ, માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી રોકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાની પણ ચર્ચા છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો અધિકારી દ્વારા ખનીજ ચોરીને રોકવામાં આવશે નહીં તો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News