મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

હળવદના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ બાદ મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા બહાર પડ્યું જાહેરનામું


SHARE









હળવદના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ બાદ મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા બહાર પડ્યું જાહેરનામું

મોરબી જિલ્લાના હળવદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ વ્યકિતગત હથિયાર પરવાના હેઠળના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ હથિયારો તાત્કાલિક અસરથી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. સંબંધીત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૪/૧૨/૨૦૨૧ પછી પરત કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકિતઓને પણ હથિયાર ધારણ કરવું નહી અને હથિયાર સાથે જાહેરમાં ફરવું નહીં. જે હથિયાર પરવાના રીન્યુઅલ માટે રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુઅલ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમા સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. આ આદેશમાંથી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બૅક, કોર્પોરેશન સહીત) માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડ, સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે જેને કાયદા મુજન હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને મુક્તિ આપવામાં આવી છે.






Latest News