આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE















મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં નદી પાસે એક મોટી દીવાલ બનાવવામાં આવેલ છે જેના લીધે નદીનું પાણી અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી શક્યતા છે જેથી કરીને આ ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલને તોડી પાડવામાં આવેલ તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચામુખ્યમંત્રી, મોરબીના કલેકટર, મનપાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરીને મચ્છુ નદીના કાંઠે બની રહેલ BAPS સ્વામી નારાયણ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા ૩૦ ફૂટ ઉંચી દીવાલ બનાવવામાં આવેલ છે જેથી કરીને નદીમાં આવતું પાણી ચોમાસામાં અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી પૂરેપુરી શક્યતા છે જેથી મોરબીમાં પૂર જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, અગાઉ મોરબીના કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આજની તારીખે પણ દીવાલ તોડવામાં આવેલ નથી. ત્યારે જો મનપા દ્વારા દુકાન પાસેના ઓટલા અને છાપરાના ગેરકાયદે દબાણો તોડવા માટેની કામ કરવામાં આવે છે તો પછી લોકોના જીવ માટે ચોમાસામાં જોખમી બની શકે તેવી દીવાલને તોડવા માટેની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી. તે સૌથી મોટો સવાલ છે.




Latest News