મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક 20 જૂને યોજાશે મોરબી જીલ્લામાં ટ્રાન્સપોર્ટના વાહનો માટે નવી બે સિરીઝમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા સમરસ પંચાયત: મોરબીના કેરાળી ગામે સરપંચ અને સભ્યોમાં પ્રથમ વખત મહિલાઓને તક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત મોરબીમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે હોસ્પિટલ-હોટલના સ્ટાફને આપી ફાયરની તાલીમ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE

















મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં નદી પાસે એક મોટી દીવાલ બનાવવામાં આવેલ છે જેના લીધે નદીનું પાણી અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી શક્યતા છે જેથી કરીને આ ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલને તોડી પાડવામાં આવેલ તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચામુખ્યમંત્રી, મોરબીના કલેકટર, મનપાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરીને મચ્છુ નદીના કાંઠે બની રહેલ BAPS સ્વામી નારાયણ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા ૩૦ ફૂટ ઉંચી દીવાલ બનાવવામાં આવેલ છે જેથી કરીને નદીમાં આવતું પાણી ચોમાસામાં અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી પૂરેપુરી શક્યતા છે જેથી મોરબીમાં પૂર જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, અગાઉ મોરબીના કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આજની તારીખે પણ દીવાલ તોડવામાં આવેલ નથી. ત્યારે જો મનપા દ્વારા દુકાન પાસેના ઓટલા અને છાપરાના ગેરકાયદે દબાણો તોડવા માટેની કામ કરવામાં આવે છે તો પછી લોકોના જીવ માટે ચોમાસામાં જોખમી બની શકે તેવી દીવાલને તોડવા માટેની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી. તે સૌથી મોટો સવાલ છે.






Latest News