મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક 20 જૂને યોજાશે મોરબી જીલ્લામાં ટ્રાન્સપોર્ટના વાહનો માટે નવી બે સિરીઝમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા સમરસ પંચાયત: મોરબીના કેરાળી ગામે સરપંચ અને સભ્યોમાં પ્રથમ વખત મહિલાઓને તક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત મોરબીમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે હોસ્પિટલ-હોટલના સ્ટાફને આપી ફાયરની તાલીમ
Breaking news
Morbi Today

મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ


SHARE

















મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ

મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.

મોરબી વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.

વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?, કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ? મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News