મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત


SHARE











પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત

મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા કે જેઓએ વિદ્યાર્થી પરિષદથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કામ કર્યું હતું તેઓએ આજે જ સવારે વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી હતી ત્યારે લંડન જવા માટેની વાત વિજયભાઇએ તેઓને કરી હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટેની શુભકામનાઓ તેમને પ્રદીપભાઇ વાળાએ પાઠવી હતી. જો કે, આજે બનેલી દુર્ઘટનામાં વિજયભાઈનું નિધન થતાં તેઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લંડન ખાતે રહેતી તેઓની દીકરીને મળવા માટે થઈને અમદાવાદથી પ્લેનમાં જઈ રહ્યા હતા દરમિયાન અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં 180 જેટલા લોકોનું મોત નીપજ છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળાએ જણાવ્યું હતું કે આજે સવારે મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને 11 વર્ષ પૂર્ણ થયા છે તેને ધ્યાને લઈને લોકોની સુખાકારી માટે જે કામ કરવામાં આવ્યા છે અને જે નિર્ણય લેવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યાં આવતા પહેલા પ્રદીપભાઇ વાળાએ આજે સવારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની સાથે તેઓ લંડન જઈ રહ્યા છે અને 15 થી 20 દિવસ પછી પાછા આવવાના છે તેવી વાત થયેલ હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટે પ્રદીપભાઇ વાળાએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી જોકે, આજે બપોરના સમયે અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થયેલ છે તેમાં વિજયભાઈ રૂપાણીનું નિદાન થતાં વર્ષોથી વિજયભાઈ સાથે કામ કરતા મોરબીમાં રહેતા પ્રદીપભાઈ વાળાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News