અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત


SHARE

















ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રોકડા રૂપિયા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી તે લૂંટ પૈકીના 72.50 લાખ રૂપિયા તથા ચોરાઈ ગયેલ કે ખોવાઈ ગયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા અને જે અંદાજે 10 લાખ કરતા વધુની કિંમતના 63 મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકને આજે એસપીની હાજરીમાં પરત આપવામાં આવ્યા હતા

પોલીસ વિભાગ દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોની મિલકત ખોવાઈ કે ચોરાઈ ગઈ હોય તો તેને શોધીને પરત આપવામાં આવે છે તેવી જ રીતે ચોર પાસેથી મિલકતને રિકવર કરવામાં આવી હોય તો તે મિલકતોને મૂળ માલિકોને પરત આપવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે રાજકોટ તરફથી મોરબી આવી રહેલા આંગડિયા પેઢીના સંચાલક નિલેશભાઈ ભાલોડીને કારથી આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી અને 90 લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે પૈકીના 72.50 હજાર રૂપિયા ગણતરીની કલાકોમાં ટંકારા પોલીસ દ્વારા રિકવર કરી લેવામાં આવ્યા હતા અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ચાર આરોપીને પકડીને જેલમાં કરવામાં આવી છે અને અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે દરમિયાન આ બાબતે કોર્ટના આદેશ મુજબ આજે નિલેશભાઈ ભાલોડીને મોરબી એસપી કચેરી ખાતે બોલાવીને એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં 72.50 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા તેની સાથોસાથ મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ મોબાઈલ ફોનની અરજી લઈને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં 63 જેટલા મોબાઈલ કે જેની કિંમત 10 લાખ કરતા વધારે થાય છે તે કુલ મળીને 82.50 લાખનોનો મુદ્દામાલ મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો અને જે લોકોના મોબાઇલ ફોન કે વાહન ખોવાઈ કે ચોરાઈ જાય તેઓ ઈ એફઆઈઆર કરી શકે છે અને આ અંગેની તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ 






Latest News