ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

પહેલા જ વરસાદમાં નદી બે કાંઠે !: મોરબીના મચ્છુ-2 ડેમમાં નવા ફિટ કરેલા 33 દરવાજનું ફાઇનલ ટેસ્ટિંગ બાકી હોય નદીમાં 4806 કયુસેક પાણીની જાવક-પાણીનો વેડફાટ


SHARE













પહેલા જ વરસાદમાં નદી બે કાંઠે !: મોરબીના મચ્છુ-2 ડેમમાં નવા ફિટ કરેલા 33 દરવાજનું ફાઇનલ ટેસ્ટિંગ બાકી હોય નદીમાં 4806 કયુસેક પાણીની જાવક-પાણીનો વેડફાટ

મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી ચાલુ વર્ષે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગયેલ છે જોકે ફાઈનલ ટેસ્ટિંગ હજુ કરવાનું બાકી છે જેથી છેલ્લા બે દિવસથી મોરબીના મચ્છુ-2  ડેમના કેચમેંટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ડેમમાં સંગ્રહ કરવાના બદલે દરવાજાને ખુલ્લા રાખીને હાલમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી સોમવારે રાતે આઠ વાગ્યે ડેમમાંથી 4806 કયુસેક જેટલી પાણીની જાવક મચ્છુ નદીમાં થઈ રહી છે જેથી મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

મોરબી જિલ્લામાં આવેલ 10 ડેમ પૈકીનો મહાકાય મોરબીનો મચ્છુ-2 ડેમ મોરબી તથા માળિયા તાલુકાના લોકોને બાર મહિના પીવા અને સિંચાઈનું પાણી પૂરું પડે છે અને આ ડેમ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય એટલે એક વર્ષ સુધી મોરબી અને માળિયા તાલુકાના લોકોને પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જાય છે. જોકે આ ડેમના દરવાજા જુના અને જર્જરીત જેવા થયા હોવાના કારણે કોઈપણ પ્રકારનું જોખમ ભવિષ્યમાં ઊભું ન થાય તે માટે સરકાર દ્વારા ગત વર્ષે 38 પૈકીના 5 દરવાજાઓને બદલવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચાલુ વર્ષે મચ્છુ-2 ડેમના 33 દરવાજા એક સાથે બદલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ડેમના દરવાજા બદલાવવા માટેની કામગીરી મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાની હતી જોકે જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને ગઈકાલે સોમવારે સાંજે છેલ્લા દરવાજામાં જે વેલ્ડીંગ કામ બાકી હતું તે પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે સોમવારની રાતે તથા મંગળવારના દિવસ દરમિયાન મોરબીના મચ્છુ-2 ડેમના કેચમેટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં એટલે કે વાંકાનેર તથા ચોટીલા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ક્રેસ્ટ લેવલ એટલે કે દરવાજાથી નીચેના ભાગમાં જે પાકું બાંધકામ હોય છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.

જોકે દરવાજા હું ફાઈનલ ટેસ્ટિંગ હજુ બાકી હોવાના કારણે મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા નથી અને હાલમાં ડેમમાં જે પાણી આવે છે તેને મચ્છુ નદીમાં જવા દેવામાં આવી રહ્યું છે. જેથી કરીને મચ્છુ નદી પહેલા જ વરસાદે બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે વધુમાં ડેમના સેક્શન ઓફિસર ભાવિન પનારા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજના આઠેક વાગ્યાના સમયથી મચ્છુ નદીમાં 4806 ક્યુસેક જેટલું પાણી મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે જેથી લોકોને પહેલા જ એલર્ટ કરવામાં આવ્યા હતા. જો કે, વરસાદ વિરામ લે એટ્લે એકાદ બે દિવસની અંદર ડેમમાં નવા ફીટ કરવામાં આવેલા દરવાજાનું ફાઈનલ ટેસ્ટિંગ કરી નાખવામાં આવશે ત્યારબાદ ડેમના દરવાજાઓને બંધ કરીને ડેમમાં પાણી ભરવાનું શરૂ કરાશે.






Latest News