મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ
મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
SHARE









મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
મોરબીમાં એલ.ઈ. કોલેજ પાસે ઝુલતા પુલ નજીક આવેલ મયુર હોસ્પીટલમાં આવતા રવિવારે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદના હસ્તે કરવામાં આવશે. જેથી દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે.
મૂળ ગામ સગાળીયાના રહેવાસી અને હાલ મોરબી નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના મોટા દીકરા જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન અને મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાણા રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે ત્યારે સાંસદ, ધારાસભ્ય, કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કેમ્પ આગામી તા. 22 ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ છે અને કેમ્પનો લાભ લેવા માટે દર્દીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જયવંતસિંહ જાડેજાના મો. 9727277777, નિરૂભા બી. ઝાલા 9725855777 અને મહેન્દ્રસિંહ ઝાલા 9825222787 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે

