મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી ચોક્કસ માહિતી ગૌરક્ષકોને મળી હતી જેના આધારે વોચ રાખવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને બોલેરો ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 45 જેટલા ઘેટા-બકરા મળી આવ્યા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને બોલેરો ગાડી લઈને જઈ રહેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપરથી અવારનવાર વાહનોમાં ભરીને કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો દ્વારા બચાવવામાં આવતા હોય છે તેવી જ રીતે વધુ એક વખત મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને ભરીને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી હકીકત ગૌરક્ષોને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખીને ત્યાં વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે બી એક્સ 1959 પસાર થતા તેને રોકીને ચેક કરવામાં આવી હતી અને ત્યારે તે ગાડીમાં 45 જેટલા ઘેટા અને બકરા ભરવામાં આવ્યા હતા અને તે અંગેના કોઈ આધાર પુરાવા વાહનમાં બેઠેલા શખ્સો પાસે ન હતા તેમજ વાહનની અંદર અબોલ જીવ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં જેથી કરીને હાલમાં રામજીભાઈ શિવાભાઈ રબારી (28) રહે રવાપર નદી તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમશાશાહ બાકરશા શેખ (37) રહે અંજાર અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (45) રહે કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News