મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટુકાવ્યું


SHARE











મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા યુવાનને નાનપણથી આંચકીની બીમારી હતી જેથી પોતાની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર શેરી નં-1 માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (40) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલ હૂકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેને તાત્કાલિક બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના દીકરા રાહુલભાઈ લક્ષ્મણભાઈ પરમાર (20) રહે. વિજયનગર શેરી નં-1 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાને નાનપણથી આંચકીની બીમારી હોય પોતાની બીમારીના કારણે પોતાની જિંદગીથી કંટાળી જઈને યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લીધું

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકળદાસ પ્રાગજીના જીન પાસે ગોકુલનગરમાં રહેતા અમરસીભાઈ પરસોતમભાઈ કંઝારીયા (60) નામના વૃદ્ધે ટ્રેલર કન્ટેનર નં. જીજે 14 એક્સ 8115 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ પાસેથી તેઓ પોતાનું બાઈક નં. જીજે 36 એએચ 3398 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે કાવું મારતા સમયે ફરિયાદીના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને ડાબા ખભામાં ફેક્ચર તથા શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News