મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા


SHARE













મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા

મોરબીમાં એલ.ઈ. કોલેજ પાસે આવેલ મયુર હોસ્પીટલમાં સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી, ધારાસભ્યોએ તેમજ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ઘણા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

મૂળ ગામ સગાળીયાના રહેવાસી અને હાલ મોરબી નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના મોટા દીકરા જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસો. અને મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ગઇકાલે મોરબીની મયુર હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાણા રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી આઈ.કે.જાડેજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નિરૂભા બી. ઝાલા તેમજ કલેકટર કે.બી.ઝવેરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવા માટેની સેવા આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે જયવંતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, અભિજીતસિંહ જાડેજા તેઓના પરિવારના સભ્યો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા રાજપૂત ડોક્ટર્સ એસો.ના હોદેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News