મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા


SHARE









મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા

મોરબીમાં એલ.ઈ. કોલેજ પાસે આવેલ મયુર હોસ્પીટલમાં સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી, ધારાસભ્યોએ તેમજ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ઘણા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

મૂળ ગામ સગાળીયાના રહેવાસી અને હાલ મોરબી નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના મોટા દીકરા જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસો. અને મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ગઇકાલે મોરબીની મયુર હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાણા રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી આઈ.કે.જાડેજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નિરૂભા બી. ઝાલા તેમજ કલેકટર કે.બી.ઝવેરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવા માટેની સેવા આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે જયવંતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, અભિજીતસિંહ જાડેજા તેઓના પરિવારના સભ્યો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા રાજપૂત ડોક્ટર્સ એસો.ના હોદેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News