મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું


SHARE







મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું

મોરબીમાં ચોમાસા દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે જર્જરિત અને જોખમી મકાન તોડવામાં આવી રહ્યા છે તેવામાં આજે મનપાની ટીમે મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાનને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.

મનપાની ટીમે અગાઉ મોરબીના વઘાપરા, અરુણોદયનગર સહિતના જુદાજુદા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને નોટિસ આપેલ હતી જો કે, તેઓએ જોખમી મકાન તોડી પાડ્યા ન હતા જેથી મનપાનું જેસીબી તેના ઉપર ફરી વળ્યું હતું તેવી જ રીતે આજે મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ દીપિકાબેન પ્રભુદાસ શાહનું 100 વર્ષ જૂનું મકાન જે છેલ્લા વર્ષોથી જર્જરીત હાલતમાં હતું. અને ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવામાં પણ જોખમ હતું માટે સ્થાનિક લોકોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત ઓગસ્ટ મહિનામાં મોરબી પાલિકામાં અરજી કરી હતી ત્યારબાદ મનપા દ્વારા ગત 16 એપ્રિલના રોજ મકાન માલિકને આખરી નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામી તે જોખમી બંધાકામ તોડી પાડ્યું ન હતું જેથી મનપાની ટિમ આજે જેસીબી સાથે પહોચી હતી અને ત્યાર બાદ જર્જરિત મકાનણે તોડી પાડવામાં આવ્યું હતું.






Latest News