મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું


SHARE













મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું

મોરબીમાં ચોમાસા દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે જર્જરિત અને જોખમી મકાન તોડવામાં આવી રહ્યા છે તેવામાં આજે મનપાની ટીમે મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાનને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.

મનપાની ટીમે અગાઉ મોરબીના વઘાપરા, અરુણોદયનગર સહિતના જુદાજુદા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને નોટિસ આપેલ હતી જો કે, તેઓએ જોખમી મકાન તોડી પાડ્યા ન હતા જેથી મનપાનું જેસીબી તેના ઉપર ફરી વળ્યું હતું તેવી જ રીતે આજે મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ દીપિકાબેન પ્રભુદાસ શાહનું 100 વર્ષ જૂનું મકાન જે છેલ્લા વર્ષોથી જર્જરીત હાલતમાં હતું. અને ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવામાં પણ જોખમ હતું માટે સ્થાનિક લોકોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત ઓગસ્ટ મહિનામાં મોરબી પાલિકામાં અરજી કરી હતી ત્યારબાદ મનપા દ્વારા ગત 16 એપ્રિલના રોજ મકાન માલિકને આખરી નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામી તે જોખમી બંધાકામ તોડી પાડ્યું ન હતું જેથી મનપાની ટિમ આજે જેસીબી સાથે પહોચી હતી અને ત્યાર બાદ જર્જરિત મકાનણે તોડી પાડવામાં આવ્યું હતું.






Latest News