મોરબી જિલ્લામાં બ્રિજ ઇન્સ્પેક્શન, રોડ રસ્તા રીપેરીંગ અને વરસાદી પાણીના નિકાલ બાબતે બેઠક યોજાઈ
મોરબીના ટંકારા ખાતે તા.૨૫ ના ઔદ્યોગિક ભરતી મેળો, શ્રાવણ માસમાં સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ યોજાશે
SHARE









મોરબી જિલ્લાના ટંકારા ખાતે આગામી તા.૨૫ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
શ્રાવણ માસમાં સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૫-૭-૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવાયું છે.
શ્રાવણ માસમાં સેવયજ્ઞ
અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે ૨૫ જુલાઈથી થઈ રહી છે.આ પવિત્ર મહિનાનો પ્રારંભ થતા જ માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌસેવા હસ્તે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આખો શ્રાવણ મહિનો મોરબીના સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને ઠંડી છાસ તથા સાંજે કઢી ખિચડી માલાબેન જીતેન્દ્ર ભાઈ કક્કડના સહયોગથી જમાડવામાં આવશે.તેમ માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અલ્પાબેન કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

