ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાળકોને ધો. ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ


SHARE













મોરબી જિલ્લાના બાળકોને ધો. ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકાનાં કોઠારીયા પાસે આવેલ પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાલી રહેલા જગ્યાઓ માટે (શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

મોરબી જિલ્લાની શાળાઓમાં ધો. ૧૦ પાસ કરેલ અને ચાલુ વર્ષે ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.navodaya.gov.in અથવા https://forms.gle/1qVCDx4oScpe8FpE9 ગુગલ ફોર્મ દ્વારા અથવા વિદ્યાલય ખાતે તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.

 

મોરબી જિલ્લાના ખેડૂતોને દિવેલાના પાકમાં બિયારણ માટે સરકાર દ્વારા સહાય કરાશે

ભારત સરકારશ્રીની તેલીબિયાં પાકોનો વ્યાપ વધારવા માટેની યોજના NMEO Oil seed માં દિવેલા પાકમાં પ્રમાણિત બીજ વિતરણ - ૧૦૦% સહાય (ભારત સરકારશ્રી અથવા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ પ્રમાણિત બીજની કિંમતની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર માટે) રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડુતોને એક હેક્ટરની મર્યાદામાં લાભ મળે તે હેતુથી રાજ્યના ખેતીવાડી ખાતા મારફત સહાયિત બિયારણ વિતરણ કાર્યક્રમ શરૂ થયેલ છે. આથી જેતે જિલ્લાના દિવેલા - એરંડા પકવતા ખેડૂતોને વધુમાં વધુ તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ વિતરણ મર્યાદિત સમય માટે જ હોવાથી વધુમાં વધુ ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા પોતાના ગામના ગ્રામ સેવકશ્રી / તાલુકાના વિસ્તરણ અધિકારી – ખેતી / મદદનિશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા રાજકોટ વિભાગ સંયુક્ત ખેતી નિયાકમ(વિ.)ની યાદીમાં જણાવાયું છે.






Latest News