ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જુદીજુદી જગ્યાએ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેના માટે અને નેશનલ હાઇવે રોડ ઉપર જુદીજુદી જગ્યાએ જંકશન બનાવવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ ગંભીર છે. જયારે ટ્રાફિકજામ થાય છે. ત્યારે એમ્બ્યુલન્સ, સ્કુલ વાહનો પણ સમયસર પહોચી શકતા નથી જેથી દર્દીઓવિધાર્થીઓ, નગરજનો સહિતના લોકો હેરાન થાય છે જેથી જુદીજુદી જગ્યાઓએ નવા ઓવરબ્રીજ બનાવવા આવે તો મોરબીની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.

જેમાં ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, રફાળેશ્વર અને સરતાનપર ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને ભરતનગર, ટીંબડી, લખધીરપુર  રોડ પાસે જંકશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત મચ્છુ નદી  ઉપર સામાકાંઠાને જોડતા અરુણોદયમિલથી ધોળેશ્વર  સમશાન સુધીનો બ્રિજ, જુલતા પુલથી રામઘાટને જોડતો બ્રીજ અને ભડિયાદથી લીલાપર રોડને જોડતો બ્રીજને  પણ બનવવામાં આવે તો મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમ છે.






Latest News