ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જુદીજુદી જગ્યાએ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેના માટે અને નેશનલ હાઇવે રોડ ઉપર જુદીજુદી જગ્યાએ જંકશન બનાવવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ ગંભીર છે. જયારે ટ્રાફિકજામ થાય છે. ત્યારે એમ્બ્યુલન્સ, સ્કુલ વાહનો પણ સમયસર પહોચી શકતા નથી જેથી દર્દીઓવિધાર્થીઓ, નગરજનો સહિતના લોકો હેરાન થાય છે જેથી જુદીજુદી જગ્યાઓએ નવા ઓવરબ્રીજ બનાવવા આવે તો મોરબીની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.

જેમાં ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, રફાળેશ્વર અને સરતાનપર ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને ભરતનગર, ટીંબડી, લખધીરપુર  રોડ પાસે જંકશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત મચ્છુ નદી  ઉપર સામાકાંઠાને જોડતા અરુણોદયમિલથી ધોળેશ્વર  સમશાન સુધીનો બ્રિજ, જુલતા પુલથી રામઘાટને જોડતો બ્રીજ અને ભડિયાદથી લીલાપર રોડને જોડતો બ્રીજને  પણ બનવવામાં આવે તો મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમ છે.






Latest News