મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જુદીજુદી જગ્યાએ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેના માટે અને નેશનલ હાઇવે રોડ ઉપર જુદીજુદી જગ્યાએ જંકશન બનાવવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ ગંભીર છે. જયારે ટ્રાફિકજામ થાય છે. ત્યારે એમ્બ્યુલન્સ, સ્કુલ વાહનો પણ સમયસર પહોચી શકતા નથી જેથી દર્દીઓવિધાર્થીઓ, નગરજનો સહિતના લોકો હેરાન થાય છે જેથી જુદીજુદી જગ્યાઓએ નવા ઓવરબ્રીજ બનાવવા આવે તો મોરબીની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.

જેમાં ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, રફાળેશ્વર અને સરતાનપર ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને ભરતનગર, ટીંબડી, લખધીરપુર  રોડ પાસે જંકશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત મચ્છુ નદી  ઉપર સામાકાંઠાને જોડતા અરુણોદયમિલથી ધોળેશ્વર  સમશાન સુધીનો બ્રિજ, જુલતા પુલથી રામઘાટને જોડતો બ્રીજ અને ભડિયાદથી લીલાપર રોડને જોડતો બ્રીજને  પણ બનવવામાં આવે તો મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમ છે.






Latest News